Created date : 06 May 2024

CPR ટ્રેઈનીંગ નું આયોજન નડિયાદમાં કરવામાં આવ્યું

ચરોતર વણકર સમાજ દ્વારા કુ.રેષા પટેલ કન્યા છાત્રાલય, નડિયાદ ખાતે ૨૪ મી માર્ચને રવિવારે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. હૃદયરોગના હુમલામાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને કોઈનો જીવ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આયોજિત આ ટ્રેનિંગ કાર્યક્રમમાં વણકર – સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનોને સીપીઆર ટ્રેનિંગ નિલેશભાઈ પરમાર અમદાવાદ (અમેરિકન હાર્ટએસોસિએશન સર્ટિફાઇડ ટ્રેનર) દ્વારા આપવામાં આવી હતી જેમાં વણકર સમાજના ૩૯ બહેનો અને ૩૭ ભાઈઓએ આ ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ લીધેલ તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ચરોતર વણકર સમાજના કાર્યકર્તા કલ્પેશભાઈ મકવાણા (લંડન) એસ.કે. પરમાર, સ્નેહલભાઈ, મુકેશભાઈ પરમાર, ડો.વિશાલ શાહ, ડો.ક્રિષ્ના વાઘેલા, ડો.ઉર્વશી વાઘેલા, હેમાબેન વૈષ્ણવ, મહેન્દ્રભાઈ, પ્રકાશભાઈ વાઘેલા, સ્નેહલભાઈ, મુકેશભાઈ પરમાર, નિલેશભાઈ મકવાણા, કપિલાબેન વગેરે સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Category Training

ચરોતર વણકર સમાજના નિયમો

08 May, 24

ચરોતરમાં રહેતા હિન્દુ વણકર સમાજને એક કરવા માટે આ ગ્રુપ બનાવેલ છે. અહી રાજનીતિ, હિંસા કે ધર્મ માટ


0 Comments

Leave a Reply

Paroti